કેળવણીના
ક્ષેત્રમાં શિક્ષકો પોતાની વાણીથી શીખવે તેના કરતા પોતાના જીવનથી, આચરણથી શીખવે
તેની ઘણી મોટી કીંમત છે.
આવુંજ
પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતા અમારી શાળાના શિક્ષક અને પૂર્વ આચાર્ય શ્રી
લાલજીભાઈ ભાણજીભાઈ ટુકડિયા તારીખ: ૩૧-૦૫-૨૦૧૫ ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત થતા
હોય, આજ રોજ તેમનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજવામાં આવ્યો.
સરળતા,
કર્તવ્ય નિષ્ઠા, સદા ઉપયોગી, સકારાત્મક આધ્યાત્મિક વિચારો, મિતભાષી સ્વભાવ, પરમ
સ્વાધ્યાયી, આવા ઉમદા વ્યક્તિત્વના વિશિષ્ટ અંશોએ તેમના સંપર્કમાં આવનાર દરેકને
પ્રેરણા આપી.
આ પ્રસંગે ઉપસ્થિત પે.સે. શ્રી શારદામંદિર પ્રાથમિક
શાળાના આચાર્ય દીપકભાઈ જોશી, સી.આર.સી.કો.ઓં. નીરૂબેન,બ્રાન્ચ પ્રાથમિક શાળાના
આચાર્ય નયનભાઈ વાજા, કાઉન્સીલર નાથીબેન વઢીયા, એસ.એમ.સી. અધ્યક્ષ રામભાઈ સલેટ, વાણોટ
હરીશભાઈ, રણછોડભાઈ,તથા અન્ય મહાનુભાવોએ લાલજીભાઈ સાથેના સંસ્મરણો વાગોળ્યા અને
લાલજીભાઈને શુભેચ્છાઓ આપી.
શ્રી
ખારવા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ લાલજીભાઈ તરફથી મળેલ સ્નેહ
અને જીવન સાફલ્યના સિદ્ધાંતોને યાદ કરતા કરતા તેમને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ,
ઐશ્વર્ય અને સુખદ આરોગ્યની શુભેચ્છાઓ પાઠવી.
No comments:
Post a Comment